WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 :- Gyan Sadhana Scholarship 2023 રાજ્ય સરકાર દ્વારા રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના કેન્‍દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવામાં આકે છે. આ શિક્ષણ ખાનગી સ્કૂલોમાં 25 % પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. બાળકોને ધોરણ-1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ આ બાળકોમાં જ્યારે ધોરણ-9 માં આવે ત્યારે ગરીબીના કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દેતા હોય છે. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલી બનાવેલ છે.

Gyan Sadhana Scholarship 2023

પોસ્ટ નું નામજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2023 | Gyan Sadhana Scholarship 2023
ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે?ધોરણ 9 થી 12
સહાયની રકમરૂપિયા 25,000/- સુધી
પરીક્ષા કેટલા ગુણની હોય છે?120 ગુણ
ઓફિશિયલ વેબસાઈટhttps://www.sebexam.org/

Table of Contents

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે?

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ રૂપિયા 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની પરીક્ષા પાસ કરવાની રહેશે. આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીને ધોરણ 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક ₹20,000 તથા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 25,000/- ની સ્કોલરશીપ આપવામાં આવશે. જો કે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની 80 ટકા હાજરીના આધારે જ આ સ્કોલરશીપ સહાય ચૂકવવામાં આવશે. આ સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર)થી જમા કરવામાં આવશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની પાત્રતા

  • સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1 થી 8 નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ.
  • RTE AC-200 ની કલમ-12 (1)(સી)ની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં 25% ની મર્યાદામાં હોય. જે તે સમયે ધોરણ-1 માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે, જેઓ ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓને લાભ મળશે.
  • જે વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.1,50,000/- (એક લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ હેઠળ મળવા પાત્ર શિષ્યવૃત્તિ

  • ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 20,000 સ્કોલરશીપ મળશે.
  • ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.

જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે પરીક્ષાની ફી કેટલી હોય છે

  • જ્ઞાન સાધના યોજના માટે વિદ્યાર્થીઓને ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની ફી ભરવાની નથી.

જ્ઞાન સાધના કસોટી પરીક્ષાનો કાર્યક્રમ (Exam Time Table)

               આ સ્કોલરશીપનો લાભ લેવા માટે અગાઉથી પરીક્ષાનો કાર્યક્ર્મ નક્કી કરેલો છે. જે નીચે મુજબ છે.

ક્રમવિગતતારીખ / સમયગાળો
1જાહેરનામું બહાર પાડવાની તારીખ10/05/2023
2વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિધ્ધ થવાની તારીખ11/05/2023
3વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો 01/06/2023
4પરીક્ષા ફીનિ:શુલ્ક
5પરીક્ષાની તારીખ11/06/2023

જ્ઞાન સાધના કસોટી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

               રાજ્યના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કેવી રીતે ઓનલાઈન અરજી કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ Google Search માં “SEB Exam” સર્ચ કરો.
  • ત્યાર બાદ તેની અધિકૃત વેબસાઈટ “https://www.sebexam.org/ “ આવશે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ Home Page પર દેખાતા “Apply Online” પર ક્લિક કરો.
  • હવે Application Format દેખાશે તેમા Aadhar UDI નાખવાનો રહેશે.
  • વિગતો ઓટો ફીલ જોવા મળશે. તે બરાબર છે કે કેમ? તે વિદ્યાર્થીએ ચેક કરી બાકીની વિગતો ભરવાની રહેશે.
  • જ્યાં લાલ ફુંદડીની નિશાની હોય તે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
  • વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, હવે તમારો Confirm Number  Generate થશે. આ નંબર સાચવીની રાખવો.

જ્ઞાન સાધના પરીક્ષાનો અભ્યાસક્રમ 2023

વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટેનું પ્રશ્નપત્ર કુલ 120 ગુણનું રહેશે. જેમા તમામ પ્રશ્નો હેતુલક્ષી સ્વરૂપના (MCQ) રહેશે.

  • આ સ્કોલરશીપ મેળવવા માટે પરીક્ષાનું  માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
  • કુલ પ્રશ્નો 120 રહેશે. જેનો સમય 150 મિનિટ ( નોધ– પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં 30 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે.)
કસોટીનો પ્રકારકુલ પ્રશ્નોકુલ ગુણ
1) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી4040
2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી8080
સાધના સ્કોલરશીપ યોજના

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન ફોર્મ ભરવા માટેઅહીંથી ભરો
હોમપેજ માં જવા માટેઅહીં ક્લિક કરો

FAQ – જ્ઞાન સાધના સ્કોલરશીપ ના વારંવાર પૂછાતા પ્રશ્નો

જ્ઞાન સાધના સ્કોલરશીપ ક્યા ધોરણના વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે?

ધોરણ 9 થી 12

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં મળવા પાત્ર રકમ કેટલી ?

રૂપિયા 25,000/- સુધી

જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

01/06/2023

જ્ઞાન સાધના સ્કોલરશીપ ફોર્મ ભરવાની વેબસાઈટ

અધિકૃત વેબસાઈટ “https://www.sebexam.org/ “

Leave a Comment