WhatsApp ગ્રૂપમાં જોડાવો!

બંદરો પર સિગ્નલો કેમ લગાવવામાં આવે છે? જાણો કયું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે

બંદરો પર સિગ્નલો કેમ લગાવવામાં આવે છે? જાણો કયું સિગ્નલ ક્યારે લગાવવામાં આવે છે :- આપણા દેશમાં ભયજનક સિગ્નલ આપવા માટે દિવસ અને રાત એમ બંને માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરાય છે. દિવસે સિગ્નલ આપવા માટે સિલિન્ડર જેવા આકારની વસ્તુ અને શંકુનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે રાત્રિના સમયે સિગ્નલ આપવા માટે સફેદ અને લાલ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં નંબર 1થી લઈને નંબર 11 સુધીના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે.

વાવાઝોડાની સ્થિતીને ધ્યાનમાં લઈ હવામાન વિભાગ દ્વારા દરિયાપટ્ટીના અથવા તો બંદર પર એક પરટીક્યુલર નંબરનુ સિગ્નલ આપવામાં આવે છે તો આ સિગ્નલનો અર્થ શું થાય છે?, આ સિગ્નલ કયારે આપવામાં આવે છે? આ સિગ્નલો વિશે આપણે આ લેખમાં જાણીશું.

બંદરો પર કેમ લગાવવામાં આવે છે અલગ અલગ સિગ્નલો? જાણો આ સિગ્નલોનો અર્થ શું થાય?

બંદર પર વિવિધ પ્રકારના સિગ્નલ લગાવવાનું મુખ્ય કારણ છે કે વારંવાર આવતા તોફાનો વાવાઝોડા જેવી તમામ માહિતી લોકો સુધી એ પહોંચી જાય તે રૂધી સરકાર બંદરો પર વિવિધ પ્રકારના સિગ્નલ લગાવે છે તોફાનો એટલે કે વાવાઝોડા માટે તમામ બંદરો પર ચેતવણી રૂપી સંકેતો સરકાર દ્વારા આપવામાં આવે છે, જેના દ્વારા દરિયા કિનારે જ એલર્ટ આપવામાં આવે છે. આ સિગ્નલો થકી લોકોને સાવચેત કરવામાં આવે છે.

સિગ્નલ કુલ કેટલા પ્રકારના હોય છે?

સિગ્નલ કુલ ૧૧ પ્રકારના હોય છે, વાવાઝોડાની ગતિ અને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આ સિગ્નલ અલગ અલગ પ્રકારે આપવામાં આવે છે.

૧ નંબરનું સિગ્નલ

ભારે પવનની ગતિ ૧ થી ૫ કિલોમીટરની હોય ત્યારે 1 નંબરનું સિગ્નલ બંદર પર આપવામાં આવે છે, ૧ નંબરનું સિગ્નલ સંભવીત વાવાઝોડાની આગાહી કરે છે.

૨ નંબરનું સિગ્નલ

દરિયામાં 60 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે ડિપ્રેશન દરિયામાં બને છે ત્યારે આ સિગ્નલ આપવામાં આવે છે, આ સિગ્નલ જહાજોને બંદરો પરથી દૂર જવા સૂચન કરે છે.

૩ નંબરનું સિગ્નલ

3 નંબરનું સિગ્નલ એ દર્શાવે છે કે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે વાવાઝોડું બંદર પર ત્રાટકવાની શક્યતા છે અને વરસાદ પાડવાની પણ શક્યતા છે.

૪ નંબરનું સિગ્નલ

દરિયામાં ડીપ ડિપ્રેશનને કારણે બંદરોને પાછળથી જાનમાલમાં અસર થવાની શક્યતા રહેલી છે. જ્યારે હવામાન ખાતા અનુસાર 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો હોય ત્યારે આ સિગ્નલ આપવામાં આવે છે.. અને આ સિગ્નલ એ પણ દર્શાવે છે કે બંદર પર ઉભેલા વહાણો ખતરામા છે.

૫ નંબરનું સિગ્નલ

પાંચ નંબરનું સિગ્નલ ડીપ ડિપ્રેશનનો સંકેત આપે છે અને જણાવે છે કે 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું દરિયાકાંઠાથી ડાબી બાજુ ફંટાશે.

૬ નંબરનું સિગ્નલ

આ સિગ્નલ ૫ નંબરના સિગ્નલ જેવુ જ છે. છ નંબરનું સિગ્નલ ડીપ ડિપ્રેશનનો સંકેત આપે છે અને જણાવે છે કે 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું દરિયાકાંઠાથી જમણી બાજુ ફંટાશે.

૭ નંબરનું સિગ્નલ

૭ નંબરના સિગ્નલનો મતલબ એ થાય છે કે વાવાઝોડું બંદરની નજીકથી આગળ વધશે અથવા તો સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરશે.

૮ નંબરનું સિગ્નલ

૮ નંબર એ વાતની ચેતવણી આપે છે કે વાવાઝોડું બંદરની ડાબે બાજુથી ખૂબ જ તીવ્રતાથી ટકારાશે અને વાવાઝોડાની પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાકની રહેશે.

૯ નંબરનું સિગ્નલ

આસિગ્નલ પણ સિગ્નલ ૮ જેવુ જ છે અને એવો મતલબ થાય છે કે વાવાઝોડું બંદરની જમણી બાજુથી ખૂબ જ તીવ્રતાથી ટકારાશે અને વાવાઝોડાની પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાકની રહેશે.

૧૦ નંબરનું સિગ્નલ

૧૦ નંબરનું સિંગલ ખૂબ જ ખતરનાક હોય છે. આ સિગ્નલનો મતલબ એવો થાય છે કે વાવાઝોડું બંદર પર અથવા તેની નજીક ખૂબ જ તીવ્ર અને વધારે વાવાઝોડું આવશે અને પવન ફૂકાંશે. પવનની ઝડપ 220 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ થઈ શકે છે.

૧૧ નંબરનું સિગ્નલ

જ્યારે પવન ૨૨૦ કિમી પ્રતિ કલાકથી વધારે ફૂંકાવા લાગે છે ત્યારે ૧૧ નંબરનું સિગ્નલ બંદર પર લગાડી દેવામાં આવે છે. આ સ્થિતિમાં તમામ ટેકનિકલ કોંટેક્ટ તૂટી જાય છે અને મોબાઈલ વ્યવહાર બંધ થઈ જાય છે. આ સિગ્નલ લાગે ત્યારે ખૂબ જ ભયાનક સ્થિતિ સર્જાય છે.

બંદરો પર સિગ્નલો કેમ લગાવવામાં આવે છેક્યાં પહોચ્યું

મહત્વપૂર્ણ કડીયો

વાવાઝોડું તમારાથી કેટલું દૂર છે તે જોવાની લીંકઅહીંથી જુઓ
માય ગુજરાત હોમ પેજ

Leave a Comment