WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સૂર્યશક્તિ કિસાન યોજના 2022 : ખેડૂતો તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વધારાની આવક મેળવી શકે છે.

સૂર્યશક્તિ કિસાન યોજના 2022 :- Surya Shakti Kisan Yojana એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે. આ યોજનાની જાહેરાત 23 જૂન, 2018 માં કરવામાં આવી હતી. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે, આ યોજનાનો પ્રારંભ 2 જુલાઈ, 2018 માં કરવામાં આવ્યો હતો.

સૂર્યશક્તિ કિસાન યોજના લાભ

ગુજરાત સરકાર દ્વારા ૨૩મી જુન ૨૦૧૮, શનિવારે Surya Shakti Kisan Yojana યોજનાની જાહેરાત કરી હતી જે અંતર્ગત ખેડૂતો તેમના ખેતીના વપરાશ માટે વીજળી ઉત્પન્ન કરી શકે છે તેમજ વધારાની વીજળી ગ્રીડને વેચી શકે છે અને વધારાની આવક મેળવી શકે છે.

સૂર્યશક્તિ કિસાન યોજનાની શરુઆત

ગાંધીનગરમાં યોજનાના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને સોલર ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવા અને તેમની આવકને બમણી કરવા માટે સશક્તિકરણ માટેનું ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો માટે વીજ ઉત્પાદન કરીને આવકવૃદ્ધિ ઊભી કરવાનો છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને વળતર આપવામાં આવશે.

કિસાન યોજના 2

 

સૂર્યશક્તિ કિસાન યોજના (Surya Shakti Kisan Yojana)ની વિશેષતા

આ યોજના મુજબ, હાલના વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને તેમની લોડ જરૂરિયાત મુજબ સૌર પેનલ આપવામાં આવશે. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતો ને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 60 % સબસિડી આપવામાં આવે છે, જેમાં 30 % કેન્દ્ર સરકાર દ્વારા અને 30 % રાજ્ય સરકાર દ્વારા, 35 % લોન આપવામાં આવે છે. આ સાથે ખેડૂતને ૫ ટકા ખર્ચ કરવાનો રહેશે, જ્યારે બાકીનો 35 ટકા ખર્ચ 4.5 થી 6 % જેટલા સસ્તા વ્યાજદરે રાજ્ય સરકાર દ્વારા લોન તરીકે આપવામાં આવશે. આ યોજનાની અવધિ ૨૫ વર્ષ છે
ખેડૂતો આ સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરી શકે છે અને ઉત્પન્ન થયેલ વીજળી ને રાજ્ય સરકારને વેચી પણ શકશે. જે અંતર્ગત પ્રથમ 7 વર્ષ ખેડૂતોએ ઉત્પન્ન કરેલ વીજળીના રૂ. 7 પ્રતિયુનિટ મળશે, જયારે બાકીના 18 વર્ષ સુધી ખેડૂતોઓ એ ઉત્પન્ન કરેલ વીજળીના રૂ 3.5 પ્રતિયુનિટ પ્રમાણે મળશે.

સૂર્યશક્તિ કિસાન યોજનાના ઉદ્દેશઃ

• સૂર્યશક્તિ કિસાન યોજના ( SKY ) એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે.
• આ યોજના અંતર્ગત ખેડુતોને મળશે મફત વીજળી.
• ખેડૂતો હવે મેળવી શકશે બમણી રકમ.
• યોજના થકી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મળશે 60 % સબસીડી.
• 35 % લોન સહાય.
• ઉત્પન્ન થયેલ વીજળી રાજ્ય સરકાર દ્વારા ખરીદવામાં આવશે.
• ખેડૂતોને મળશે દિવસ દરમિયાન 12 કલાક વીજળીની સુવિધા
• આ યોજના 25 વર્ષના સમયગાળા માટે શરૂ કરવામાં આવેલ છે

આ યોજનાની મુખ્ય જોગવાઇ નીચે મુજબ છે

જ્યારે આ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાના ખેતરમાં સોલાર પ્લાન્ટ લગાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 35 % ની લોન સહાય આપવામાં આવે છે. આ યોજના 25 વર્ષના સમયગાળા માટે શરૂ કરવામાં આવેલ છે
સૂર્યશક્તિ કિસાન યોજના 2022 – 2023 હેઠળ રાજ્યના 33 જિલ્લાના 12,400 ખેડૂતોને લાભ મળશે. આ પાઈલોટ પ્રોજેકટથી 175 મેગાવોટ વીજળી ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે આ લક્ષ્યાંક પૂર્ણ થઈ રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે રૂ. 870 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ અંગે હવે ખેડૂતોને દિવસ દરમિયાન 12 કલાક વીજળી મળતી થશે.

વધારાની વીજળી વેચવી – ખેડૂતો વધારાની વીજળી રાજ્ય સરકારને વેચી શકે છે. પ્રથમ 7 વર્ષ માટે, સરકાર. રૂપિયાના ખર્ચે વીજળી ખરીદશે. 7 પ્રતિ યુનિટ જ્યારે સરકાર. રૂપિયામાં વીજળી ખરીદશે. આગામી 18 વર્ષ માટે 3.5 પ્રતિ યુનિટ.
આ યોજનાથી ખેડૂતોને મોટી રાહત મળશે અને વધારાની આવક પણ થશે. ખેડૂતો આગામી 8 થી 18 મહિનામાં રોકાણનો ખર્ચ વસૂલ કરી શકશે.

હાલમાં, ખેડૂતોને સિંચાઈ હેતુ 8 કલાક વીજળી મળી રહી છે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ બાદ ખેડૂતોને 12 કલાક સુધી વીજળી મળશે.

રાજ્ય સરકાર દ્વારા ગૂજરાતના સમગ્ર જિલ્લામાં સૌરઊર્જા લાગૂ કરવામાં આવશે, આ યોજના થકી ખેડૂતોને મોટા પ્રમાણમાં લાભ મળશે જેમ કે ખેડૂતો ને મળશે વીજળી બિલમાંથી રાહત, વધારાની વીજળીના વેચાણથી વધારાની આવક મળે.

આ પણ વાંચો :- ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ-ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરો માત્ર 5 મિનિટમાં

Leave a Comment